ઉત્તરપ્રદેશનાં કાનપુરનાં ચમન ગંજ વિસ્તારમાં ગાંધીનગર ખાતે આવેલી એક પાંચ માળની ઈમારતમાં રવિવારે રાતે ભીષણ આગ લાગી જતાં એક જ પરિવારના પાંચ સભ્યો મોત નીપજયાં જોવાની માહિતી મળતી હતી. માહિતી અનુસાર મૃતકોમાં પતિ-પત્ની અને ત્રણ બાળક સામેલ છે. 8 કલાક સુધી તેમને બચાવવા પ્રયાસ કરાયા હતા પરંતુ છેવટે બધાના શબ જ હાથ લાગ્યા હતા. ઈમારતમાં લાગેલી ભીષણ આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડની એક ડઝનથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ સ્થિતિ 8 કલાકે કાબૂમાં આવી હતી.
ડીસીપીએ કહ્યું કે, બે લોકોની હાલત ગંભીર છે. હાલ મેડિકલ એક્ઝામિનેશન બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. અમને માહિતી મળી હતી કે ત્રણ લોકો ઈમારતમાં ફસાયેલા છે પરંતુ જ્યાં સુધી અમે કોઈ પરિણામ સુધી પહોંચીએ એ પહેલા જ પાંચ લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. આ ઈમારતના નીચલા ફ્લોર પર શૂઝનું કારખાનું હતું અને કારખાનેદાર જ ઉપર રહેતા હતા. શોર્ટ સર્કિટને કારણે આ આગ ભડકી હોવાની જાણકારી મળી રહી છે. આગની લપેટમાં શૂઝનું કારખાનું આવી ગયું હતું અને જોત જોતામાં જ આખી ઈમારત તેમાં લપેટાઈ ગઇ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ હજુ પણ ઘટના સ્થળે હાજર છે અને રાહત બચાવ કામગીરી ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application